Sri Aurobindo's major poetic work - the supreme revelation of His vision
Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.
સર્ગ બીજો
મુદ્દાનો પ્રશ્ન
વસ્તુનિર્દેશ
સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો. સાવિત્રી વિચારનાં ઊંડા ક્ષેત્રમાં ઊતરી પડી. એનું મન વર્તમાનથી આરંભી બચપણ સુધીનાં ભૂતકાળનાં દ્રશ્યો જોતું ગતિમાન થયું. એક દિવસમાં પોતાના ભાગ્યનું એક આખું વર્ષ જાણે જિવાઈ ગયું. અને છેવટે મૃત્યુની છાયામાં સ્વર્ગ નરક સાથે સ્પર્ધામાં ઉતરેલું અનુભવાયું.
કદી કદી પ્રભુની નિકટતા પ્રાપ્ત થવાની હોય છે ત્યારે જે એક અલૌકિક જેવો અંધકાર માણસ ઉપર ઊતરી આવે છે તે સાવિત્રી ઉપર પણ ઉતર્યો.
બહરની ચેતનામાંથી નીકળી અંતરની ઊંડી આત્મચેતના સાથે તદાકાર થવું સાવિત્રી માટે હવે અનિવાર્ય હતું; કેમ કે હવે એ એક એવી સીમાએ પહોંચી હતી કે જયારે જીવન કાં તો નિષ્ફળ બની જાય, કાં તો પોતાનો અણજન્મ્યા અમર અંશમાં સ્થિત થઈને શરીરના નિર્માણને નાબૂદ કરી દે. કુદરતમાં કામ કરતા પાકા નિર્માણમાં પલટો આણવાની આવશ્કતા ઊભી થઇ હતી.
સાવિત્રીરૂપ અપૂર્વ આધાર પ્રેમને પ્રાપ્ત થયો હતો. સાવિત્રીમાં રહેલી નિગૂઢ દિવ્યતા પ્રતિ સર્વ આકર્ષાતા, એમાંથી આશ્વાસન અને આનંદ મેળવતા, કારણ કે સર્વને દિવ્યતા સમર્પનારી શક્તિ ધરાવતો પ્રેમ એનામાં પ્રતિષ્ઠા પામ્યો હતો.
પણ આ જગતમાં ધામા નાખી પડેલી એક કાળી શક્તિ સાવિત્રીની સામે ખડી થઇ. સાવિત્રી પરમચેતનાનું ને પરમ પ્રેમનું મંગલ મંદિર બને તે એને પ્રતિકૂલ હતું. તેથી ઉદ્ધાર કરવા આવેલા દૈવી આત્માઓને જે મહાયાતના અને ક્રૂર અત્યાચારોમાં થઈને પસાર થવું પડે છે તે કપરી કસોટી બનીને સાવિત્રી સમક્ષ ઉપસ્થિત થયા.
ક્રમે ક્રમે મનુષ્ય અવિદ્યા પ્રકૃતિનો પ્રભુ બને છે, એની અંદરનો સાક્ષી આત્મા તટસ્થતા પ્રાપ્ત કરી પરમજ્યોતિનાં દર્શન કરે છે, જડયાંત્રિકતાના કાર્ય પાછળ દેવ સ્વરૂપ ઉભું થાય છે.
આ સત્ય ફાટી ઉઠતા જ્વાળામુખી માફક સાવિત્રીની દ્રષ્ટિ સમીપ પ્રકાશ્યું અને માણસમાં રહેલા પ્રભુનો વિજય થયો. સાવિત્રીના સ્વરૂપમાં સક્ષાત્ જગદંબા આવિર્ભાવ પામી અને એના જીવંત સંકલ્પે નિર્માણચક્રને હડસેલ્યું ને અનિવાર્યતાની આગેકૂચને અટકાવી. મૃત્યુના મુખ ઉપરનું મોરું એણે પ્રહાર કરીને તોડી પાડ્યું અને ચેતનાના ને કાળના બંધનો જમીનદોસ્ત કર્યા.
૧૭
પળ વાર નિવર્તીને ગુપ્ત ક્ષેત્રે વિચારના
લાગ્યું વિચરવા તેનું માનસ ભૂતકાળમાં ;
બહુ-બિંબાળ એ ભૂત ફરીથી જીવતો બન્યો,
ને પોતાને અંત એણે જોયો નજીક આવતો :
મરતો એ હતો છતાં
સાવિત્રીમાં જીવતો'તો અવિનાશી બની જઈ ;
ક્ષણભંગુર ને લોપ પામતો એ ક્ષણભંગુર નેત્રથી,
અદ્રશ્ય, જાતનું ભૂત ભાગ્યનિર્માણથી ભર્યું,
ભૂતાભાસી ઉરે એણે ધારી' તી ભવિતવ્યતા.
ભાગતી ઘટના કેરી દૂર-પાછી રેખાના માર્ગને લઇ
આગ્રહી ઘટિકાઓના સ્ત્રોત કેરી પ્રતીપા ગતિ ચાલતી,
ને ગૂઢ પૂરને કાંઠે હાલ જેઓ જોવાને મળતા ન ' તા
તેવા સુપ્રિય લોકોનાં સ્વરૂપો વસતાં હતાં,
ને હતી એક વેળાની ચીજોની સૂક્ષ્મ મૂર્તિઓ ;
સાક્ષી આત્મા ખડો તેનો ત્યાં કાળ અવલોકતો.
એક વાર હતાં સેવ્યાં આશા ને સ્વપ્ન જેહનાં ,
ને એક વાર જે પોતે હતી તે, પક્ષિરાજની
પાંખે સ્મૃતિતણાં વ્યોમમંડળો મધ્ય ઉડતું
તેની દ્રષ્ટિતણી સામે થઈને પ્ર-સરી ગયું.
જેમ કો બહુરંગી ને અંતરંગી ભભૂકતી
ઉષામાં હોય તે રીતે એના જીવનના પૃથુ
મહામાર્ગો અને મીઠા ઉપમાર્ગોય સૂર્ય શી
એની વિશદ ને નોંધ લેતી દ્રષ્ટિ સમીપમાં
આલેખાયેલ દેખાયા,-- દેખાયો બાલ્યકાલનો
પ્રદેશ ઉજળો, એના ચગતા યુવાકાળના
નીલ પહાડો તથા દિવ્ય કુંજો ને નીલકંઠની
પાંખો પ્રેમતણી, ને જ્યાં સ્પર્ધામાં સ્વર્ગ દોડતું
હતું નરકની સાથે ત્યાંના છેલ્લા વળાંકમાં
દ્રઢ આસ્લિષ્ઠ આનંદ અંતની મૌન છાયામાં.
ભાવોદ્રેક ભર્યા બાર મહિનાઓ
૧૮
ગાળ્યા એક દૈવનિર્માણને દિને.
મનુષ્ય પ્રભુની પાસે સરતો હોય છે તદા
કોઈ વાર પડે એની પર આવી
અંધકાર અડાબીડ અમાનુંષો :
આવે એવી ઘડી જયારે વ્યર્થ જાતાં સર્વે પ્રકૃતિ-સાધનો ;
રક્ષાકારી અવિદ્યાથી બલાત્કારે બહિષ્કૃત થઇ જઈ
ફેંકતો માનવી એની ખુલ્લી મૂલ જરૂરતે ;
અંતે એણે બહાર ફેંકી દેવાની છે બાહ્ય સત્તા સ્વરૂપથી,
ને અનાવૃત આત્માનું ધારવાનું છે સ્વરૂપ નિજાંતરે :
સાવિત્રી પર એ આવી પડી કાળઘડી હવે.
આવી' તી ક્ષણ એ એની જે વેળાએ બને જીવન વ્યર્થ, કે
અજન્મા મૂળ પોતાના તત્વમાં જાગ્રતા થઇ,
એ સ્વ સંકલ્પથી લોપી નાખે ભાવિ શરીરનું.
કેમ કે અજ આત્માની અકાળ શક્તિ એકલી
કાળે થયેલ જન્મે જે છે આરોપેલ ઘૂંસરી
તેને દુર કરી શકે.
એક આત્મા જ જે ઢાળે પ્રતિરૂપે સ્વરૂપને
તે જ આ ફરતાં નામો, ને આ નિ:સંખ્ય જીવનો,
ને આ ભુલકણાં વ્યક્તિસ્વરૂપોને નવાં નવાં
સંયોજી રાખવાવાળી અંતહીન સુનિશ્ચલા
રેખા સમૂળગી ભૂંસી નાખવાને સમર્થ છે :
સચેત આપણાં કાર્ય મહીં સંતાયેલી રહી,
જુના ને વિસરાયેલા વિચારોની તથા કીધેલ કર્મની
સરણીને હજીયે એ રેખા છે સાચવી રહી :
આપણી દફનાવેલી જાતો મૂકી દાયમાં જે ગયેલ છે,
અંધભાવે દેહ-દેહી સ્વીકાર જેહનો કરે,
ને લુપ્ત આપણાં રૂપો ગયાં આપી જે બોજારૂપ વારસો,
તેને નકારવા માટે આત્મા માત્ર સમર્થ છે.
ભુલાયેલી વાતમાં કો આવનારા પ્રસંગ શું,
જ્યાં આરંભ વિલોપાયો, હેતુ ને વસ્તુ ગુપ્ત જ્યાં,
૧૯
એવું આત્યારનું ભાગ્ય આપણું છે
શિશુ ભૂતકાલીન શક્તિઓતણું ,
જીવતી એક વેળાની વાતે જેને સજ્જ ને સિદ્ધ છે કર્યું.
છૂપા અટળ અંકોડે સંકળાયેલ, વિશ્વની
કાર્યકારણ રૂપી જે શુંખલા સુદ્દૃઢા સ્થિરા,
સાવિત્રીએ તેને છે તોડવી રહી,
ને નિજાત્મતણે બળે
પન્થે અમૃતના જાતાં આડો જે અંતરાય, તે
આઘો ખસેડવાનો છે પોતાનો ભૂતકાળને ,
જમીનદોસ્ત છે સૌને કરવાનું, અને ફરી
છે નવેસર દેવોનો ઘાટ નિજ ભવિષ્યને .
અજ્ઞાતની કિનારીએ મળતા આદિ દેવતા
વચ્ચેની મંત્રણા કેરો હતો વિષય જે બન્યો,
તે તેના ચૈત્યનો મૂર્ત્ત શૂન્ય સાથે ચાલતો' તો વિવાદ જે
તેનો ભીષણ અંધારી પૃષ્ઠભોમે ઊતરી મલ્લયુદ્ધમાં
ફેંસલો આણવો રહ્યો :
સાવિત્રીને નિજાત્માના નિરાકાર નિદાનની સમક્ષ ઉભવું રહ્યું,
તોળવાનું રહ્યું વિશ્વ સામે મૂકી એકલી નિજ જાતને.
આત્મા જ્યાં શૂન્યની સાથે નગ્ન શૃંગે એકલો જ વિરાજતો,
જિંદગી અર્થહિણી જ્યાં,
ને નથી જ્યાં ઊભવાનું સ્થાન એકેય પ્રેમને
ત્યાં વિનાશતણી ધાર પર એણે સ્વપક્ષની
વકીલાત અવશ્ય કરવી રહી,
જગ-ભીતર આવેલી મૃત્યુકેરી ગુહામહીં
જિંદગીનો નિરાધાર દાવો સમર્થવો રહ્યો,
અસ્તિના ને પ્રેમકેરા પોતાના અધિકારનું
પ્રમાણ આપવું રહ્યું.
બદલી નાખવાનો છે સૃષ્ટિ કેરા કઠોર વ્યવહારને ;
નિર્દોષ છૂટવાનું છે એણે ભૂતકાળના નિજ બંધથી,
પતાવી નાખવાનું છે ખાતું પુરણ દુઃખનું ;
૨૦
આત્માં કેરું ચક્રવૃદ્ધિ ઋણ દીર્ધ સમાંતણું ,
કર્મના દેવતાઓની ગુલામી બોજ લાદતી,
ક્ષમાદાન ન દેનારો વિધિ વેર કરતો જે વસૂલ તે,
જરૂરિયાત ન ઊંડેરી વિશ્વમાં વ્યાપ્ય દુઃખની,
કઠોર બલિદાનો ને કરુણાંત દુરંતતા,--
છે ચેકી નાખવાનું આ બધું કાળ-વહીથકી.
કાળરહિત તોડીને અંતરાય એણે છટકવું રહ્યું,
ચિત્તની ગહરાઈઓ દ્વારા નિ:સાર શૂન્યની
ભીષણ ચૂપકી એણે ભેદવી છેક જોઈએ,
આંખો એકલવાયી જે મૃત્યુથી મુક્ત મૃત્યુની
તેનું ભીતર ભેદંતી દૃષ્ટિથી દેખવું રહ્યું,
નગ્ન નિજાત્મથી એણે માપવાની છે તમિસ્રા અનંતની.
હતી પાસે હવે મોટી એ દુઃખશોકની ઘડી.
સેના કવચધારી કો જેમ કૂચતણી ગતે
વિનાશ પ્રતિ જાય છે,
તેમ આખરના લાંબા
દિવસોયે જવા લાગ્યા પગલાં જડસાં ભરી,
છેક અંત સમીપના
લાંબા છતાં જરામાં જ જે પસાર થનાર છે.
અનેક પ્રેમનાં પાત્ર વદનો વચ એકલો,
ન જાણતાં સુખી હૈયાં મધ્યમાં એક જાણતો,
એનો બખ્તરિયો આત્મા ઘડીઓને નિરીક્ષતો,
અમાનુષી અરણ્યોની આંતરિક રમ્યતામહીં
પહેલેથી જ જોયેલા મહાઘોર પગલાના ધ્વનિ પ્રતિ
કાન માંડી રહ્યો હતો .
સૂમસામ ભયે ભર્યા
યુદ્ધ કેરા અખાડાની ભૂમિમાં એ યોધ કેરા સ્વરૂપમાં
ઉપસ્થિત થઇ હતી,
જગ અર્થે ઊતરી' તી તે છતાંયે જગ તે જણાતું ન ' તું :
સહાયમાં ન ' તું કોઈ આત્માના બલના વિના;
૨૧
સાક્ષી રૂપે ન ' તો કોઈ આંખો પાર્થિવ લોકની ;
ઊર્ધ્વમાં દેવતાઓ ને નીચે આત્મા નિસર્ગનો
હતા પ્રેક્ષક એ જંગી અને જબર જુદ્ધના.
આસપાસ હતા એની પહાડો રૂક્ષ વ્યોમ નિર્દેશતા શિરે,
ને હારાં, મર્મરાટોએ ભર્યા, વ્યાપ્ત વિશાળ કૈં,
અને ઊંડા ચિંતનોમાં ઊતરેલા વનો વળી,
રૂંધાયેલા મંત્રજાપો અખંડિત કર્યે જતાં.
ગાઢું, ભવ્ય, ભર્યું રંગે, આત્મનિમગ્ન જીવન
ઉલ્લાસી લીલમી પર્ણપટવસ્ત્રે એક્સાન સમજાયલું,
રવિ-રશ્મિ ને પ્રમોદી પુષ્પો કેરી ચિત્ર-ભાતે ભરાયેલું
બની દીવાલ ઊભું ' તું આસપાસ
એના ભાવી કેરા એકાંત દ્રશ્યની.
ત્યાં જ એણે નિજાત્માની કરી ' તી પ્રાપ્ત પ્રૌઢતા;
મહા તોતિંગ મૌનોના પ્રભાવે બૃહદાત્મતા-
ભરેલ નિજ નૈર્જન્યે ઝબકોળી સાવિત્રીના સ્વરૂપને
એના આત્માતણી નગ્ન સત્યતાનાં કરાવિયાં
હતાં દર્શન એહને,
ને આસપાસના કેરી સાથે સાધી આપ્યો ' તો મેળ એહનો.
પૃષ્ઠભૂમિ સમર્પીને અનાધંત કેરી ને અદ્વિતીયની
તેની નિર્જનતાએ ત્યાં
સાવિત્રીની જિંદગીની ઘડીઓને માહાત્મ્ય આપિયું હતું.
રોજિંદી જિંદગીકેરું માનવીનું જે ભારેખમ ચોકઠું,
અને બાહ્ય જરૂરોનો કચડી મારતો જથો,
તેને પ્રારંભની આછીપાતળી હાજતોમહીં
ફેરવી નાખતી અલ્પસ્વલ્પ સીધી જરૂરતો,
ને આદ્ય પૃથિવી કેરી મહાબલ વિશાલતા,
ને ધૈર્યધર વૃક્ષોના વૃંદની ધ્યાનલીનતા,
ને ચિંતનસ્થ નીલેરી વિશ્રાંતી વ્યોમની, અને
ગુરુ ગંભીરતા ધીરે સરતા ધીર માસની,--
એ સૌએ હૃદયે એને ધ્યાન ને પ્રભુ કારણે
૨૨
અવકાશ હતો રાખ્યો ગહનાત્મકતા ભર્યો.
પ્રસ્તાવ ઊજળો એની
જિંદગીના નાટ્ય કેરો જિવાયેલ હતો તહીં.
સ્થાન શાશ્વતના પાદસંચારાર્થ ધરા પરે
ઉત્કંઠ કાનનો કેરા વિહારે સંસ્થપાયલું
ને શૃંગોની આસ્પૃહાની દૃષ્ટિ જેને નિરીક્ષતી,
ની:સ્પંદતા દઈ કાન અનુક્ત શબ્દ જ્યાં સુણે,
દુઃખ ને પલટા પ્રત્યે જવાનું જ્યાં ઘડીઓ જાય વીસરી,
તે દેખાયું કાળ કેરા સ્વર્ણવર્ણ એક ઉઘાડમાં થઇ.
દિવ્ય આગમનો કેરી લઇ સાથ અચિંત્યતા,
કરતો પુનરાવૃત્ત ચમત્કાર આદિમ અવતારનો,
પ્રેમ એની પાસ આવ્યો મૃત્યુ--છાપ છુપાવતો.
સાવિત્રીમાં ભલું એને પોતા માટે પુણ્યધામ મળી ગયું.
જ્યારથી જગતી-જીવે
પ્હેલવ્હેલો સ્વર્ગ પ્રત્યે સ્વવિકાસ શરૂ કર્યો,
ને કસોટી માનવીની લાંબી જે જે થઇ તે અરસામહીં,
ત્યારથી ના સાવિત્રી વણ અન્ય કો
પ્રેમબાણ ઝીલનારું વિરલું વિરલું થયું :
દેવત્વ આપણામાં જે તેનું પ્રેમ પ્રોજ્જવલંત પ્રમાણ છે,
છે એ વિદ્યુત શૃંગોથી
આવેલી ઊતરીને હ્યાં આપણા ઘોર ગર્તમાં.
એના સ્વભાવનું સર્વ ઉદાત્તતર જાતિનો
નિર્દેશ કરતું હતું.
પૃથ્વીની પૃથુતા કેરી નિકટે ને
સ્વર્ગ સાથે ગાઢ સંબંધ રાખતો,
ઉન્ન્ત, દ્રુત, વિસ્તીર્ણ દૃષ્ટિવંતો આત્મા તરુણ એહનો,
યાત્રા કરંત પ્રોદ્દીપ્ત ને પ્રશાંત ભુવનોની મહીં થઇ,
કરી પાર સરણીઓ વિચારની
ઊંડી પ્હોંચી જતો જન્મી નથી તે વસ્તુઓ મહીં.
આત્મસામ્યે રહેતો ને ન સ્ખલંતો હતો સંકલ્પ એહનો ;
૨૩
મન એનું હતું એક સિંધુ શુભ્ર સત્ય સરલ ભાવનો,
ભાવોદ્રેક ભર્યો વ્હેતો, એકે એમાં ઊર્મિ કલુષ ના હતી.
રહસ્યપૂર્ણ ને શક્તિ-ગતિયુક્ત જેમ કો એક નૃત્યમાં,
નિષ્કલંક મુદાઓની મૂર્ત્તિ એવી કો પૂજારણ, સત્યના
આવિષ્કારક ને ગેબી ગુંબજ મધ્યથી લઇ
પ્રેરણા ને પ્રશાસ્તિઓ,
ઇશ્વરાદેશ દેનારી દેવો કેરી ગુહામહીં કરે સંચાર પાયનો,
સાવિત્રીમાંય તે વિધે
હર્ષના હાથમાં હૈયું હતું નીરવતાતણું
નિવસેલું ઉષા જેવા સમુજ્જ્વલ શરીરમાં
સર્જનાત્મક સંપન્ન સતાલ ધબકો સહ,
જે દેવાલયના જેવું લાગતું કો ઢાંકેલી દિવ્યતાતણું ,
યા સ્વર્ણ-મંદિર-દ્વાર પાર કેરી વસ્તુઓ પ્રતિ ખૂલતું.
કાળ-જન્મ્યા પદે એના છંદો અમર લે લયો;
દૃષ્ટિ ને સ્મિત એનાં ભૂ-લોક કેરાં
તત્વોમાંયે સ્વર્ગકેરાં સંવેદન જગાડતાં,
ને સાન્દ્ર એમની મુદા
સૌન્દર્ય રેલતી દિવ્ય માનવી જીવનો પરે.
સ્વાભાવિક હતું એને માટે કાર્ય ઉદાર આત્મદાનનું ;
સમુદ્ર અથવા વ્યોમ સમી એની હતી મહાનુભાવતા,
આવનારાં બધાંને જે ઘેરી લેતી હતી મહાત્મ્યથી નિજ,
ને મહત્તર પામી ગયેલું કો જાણે જગત હોય ના
એવું ભાન કરાવતી :
એની કોમળ સંભાળ સમશીતોષ્ણ સૂર્યની,
હતી ગરજ સારતી,
ઉચ્ચ એનો ગાઢ ભાવ નીલામી નીલ વ્યોમની
ધારતો સમતોલતા,
શિકાર અર્થે શોધાતા પક્ષી પેઠે થાકેલી પાંખની પરે
આત્મા ઊડી જાય જેમ છટકીને તોફાનોના જગત્ થકી,
ને હૈયે યાદ આવેલા જઈને શાંતિ મેળવે,
૨૪
તેમ જીવ સુરક્ષા ને તેજસ્વી મૃદુતા ભર્યા
સાવિત્રીના વિશ્રાંતિપ્રદ આશ્રયે
જઈને, મધુ-અગ્નિની
ધારાઓએ ફરી પાછું પ્રાણ-પાન કરી શકે,
ગુમાવેલી ટેવ પાછી સુખની મેળવી શકે,
અને એના સ્વભાવની
પ્રાસન્નોજજવલતા-પૂર્ણ હવા કેરી અનુભૂતિ કરી શકે,
ને એની સ્નિગ્ધ ઉષામાં અને રાજ્યે એના જીવનરંગના
હર્ષ-ફુલ્લ બની શકે.
હૈયું એનું હતું એવું કે બ્રહ્યાંડ
આખુંએ જે એક માંહે આશરો મેળવી શકે.
મોટો અમૃપ્ત એ દેવ હ્યાં વસી શકતો હતો :
ક્ષુદ્ર જંતુતણી બંદી હવાથી મુક્ત એહનું
હતું માનસ, ને તેથી પ્રેમના દેવતાતણા
ઉચ્છવાસો ઉચ્ચ ને દૈવી સત્કારી એ
પોતાનામાં વસાવી શકતું હતું,
જેને લીધે વસ્તુઓ સૌ દેવતાઈ બની જતી.
અતલોય હતાં એનાં ગુપ્તાવાસો પ્રકાશના.
નિ:શબ્દતા અને શબ્દ એકીસાથે જ એ હતી,
હતી એક મહાખંડ સ્વયંવ્યાપક શાંતિનો,
પારાવાર અણીશુદ્ધ હતી નિષ્કંપ અગ્નિનો;
બલ ને મૌન દેવોનાં બની એનાં ગયાં હતાં.
એનામાં પ્રેમને પ્રાપ્ત થઇ પોતામહિં છે તે વિરાટતા,
પુનઃપ્રાપ્ત કર્યું એણે નિજ ઉચ્ચ સ્નેહોષ્મ સૂક્ષ્મ વ્યોમને,
ને નિજાલયમાં તેમ એનામાં એ સંચાર કરતો હતો.
સાવિત્રીમાં મળી એને ગઈં શાશ્વતતા નિજી.
ત્યાં સુધી શોક-રેખા કો રશ્મિને આ નડી ન ' તી.
આ શંકાસ્પદ પૃથ્વીના નાશશીલ હૈયા ઉપર જ્યારથી
ઉચ્છવાસ-બદ્ધ પોતાના વાસસ્થાને પરિવેષ્ટિત એહની
૨૫
આંખો સુધન્ય તારાઓ પ્રત્યે ખૂલી સમભાવ ધરાવતી.
જ્યાં દુઃખી પલટાઓ ભોગ જીવન ના બને,
ને એને મૃત્યુએ માગ્યાં
પોપચાંઓ ઉવેખેલું સૌન્દર્ય યાદ આવ્યું
ને ઝગારા મારનારી કાળ કેરી પટી પર વહાયલું
ક્ષણભંગુર રૂપોનું જોઈને આ જગ એ વિસ્મિતા થઇ,
ત્યારથી અણજન્મેલાં
સામર્થ્યોની દંડમુક્તિ એનો ભોગવટો હતી.
માનુષી બોજ લેવાને ઝુકેલી એ હતી, છતાં
એની ગતિ હજી તાલ દેવોનો રાખતી હતી.
ઉચ્છવાસ પૃથિવી કેરો એ સુનિર્મલ કાચને
દુષવામાં ગયો વૃથા :
લિપ્ત થયા વિના ધૂળે આપણા મર્ત્ય વાયુની
સ્વર્ગના દિવ્ય અધ્યાત્મ હર્ષને એ હજીયે પ્રતિબિંબતો.
એના પ્રકાશમાં જેઓ રહેતા તે હતા પ્રાય: વિલોકતા
શાશ્વત ગોલોકોમાંનો લીલાનો ભેરુ એહનો
એના આવાગમનની આકર્ષંતી જ્યોતિરેખાનુસારમાં
અગમ્ય ભુવનોમાંથી એનાં આવેલ ઊતરી,--
અપાર પરમાનંદ કેરું એ જે
વ્યાલપંખી શુભ્ર પાવકજોતનું
સાવિત્રીના દિનો કેરી ઉપરે સરતું હતું :
નિયુક્ત કાર્યને માટે આવેલી બાલિકાર્થ એ
સ્વર્ગ કેરી શાંત ઢાલ સરંક્ષા આપતી હતી.
બાલ્યકાલ હતો એનો ગ્રહમાર્ગ પ્રકાશતો,
થતા પસાર દેવોનાં સોનેરી વસનો સમાં
વર્ષો એનાં વહી જતાં ;
એનું યૌવન બેઠું ' તું શાંતિ પૂર્ણ સુખે સિંહાસને ચડી.
આનંદ કિંતુ ના અંતે પર્યંત શકતો ટકી :
પાર્થિવ વસ્તુઓમાં કો એવું એક તિમીસ્ર છે
જે અત્યાનંદનો સૂર નથી દેતું વધારે વાર ચાલવા.
૨૬
સાવિત્રીનેય પંજામાં ગ્રહી લેતો હસ્ત ટાળ્યો તળે ન જે :
શાસ્ત્રધારી અમર્ત્યે એ કાળના પાશને ધર્યો.
ભારાક્રાંત મહંતોને જેનો મેળાપ થાય છે,
એવો જે એક છે તેણે એની સાથે વહેવાર શરૂ કર્યો.
કસોટીઓતણો દાતા ને નિર્દેશક માર્ગનો
દેહીના બલિદાનમાં
મૃત્યુ, પતન, ને દુઃખ પસંદ કરનાર, ને
પરોણે એમના હાંકી આત્માને લઇ જાય જે,
સંદિગ્ધ દેવતાએ તે દુઃખની નિજ દીપિકા
ધરી દરી ઉજાળી આ અસમાપ્ત જગત્ તણી,
ને વિરાટ નિજાત્માથી
ગર્તને એ પૂરવાને સાવિત્રીને એણે આહવાન આપિયું.
પ્રભાવી તે દયાહીન દ્રષ્ટિકોણ ધરાવતો,
સનાતનતણા ઘોર વ્યૂહે ઉત્કર્ષ આણતો,
મુશ્કેલીનું માપ લેતો બલ કેરા પ્રમાણથી,
સૌને ઓળંગવાનો જે ગર્ત, તેને ઊંડો અધિક ગોડતો.
એવા એણે
સાવિત્રીનાં આક્રમીને દિવ્યમાં દિવ્ય તત્વને
માનવીનું પ્રયાસી જે હૈયું તેના
જેવું એના હૈયાનેય બનાવિયું,
ને એના બળને વાળ્યું બળાત્કારે માર્ગે નક્કી કરાયેલા.
આ માટે અપનાવ્યું ' તું એણે શ્વસન મર્ત્યનું ;
મલ્લયુદ્વાર્થ છાયાની સાથે આવેલ એ હતી,
ને જડ દ્વવ્યની મૂક રાત્રી મધ્યે હતો માનવ જન્મનો
જે કૂટ પ્રશ્ન તેનો, ને જિંદગીના અલ્પજીવી પ્રયાસનો
સામનો કરવાનો ' તો સામે મોઢે ખડા રહી .
કાં તો અજ્ઞાન ને મૃત્યુ-એ બન્નેને નિભાવવાં,
કાં તો કાપી કરી માર્ગ રચવો અમૃતત્વનો,
કાં તો મનુષ્યને માટે બાજી દિવ્ય જુગારની
રમી પ્રારબ્ધને પાસે
૨૭
જીતવી કે જેવી હારી, એ એના અંતરાત્મને
માટે પ્રશ્ન બન્યો હતો.
તાબે થઇ સહી લેવા કિંતુ એ જનમી ન ' તી ;
દોરવું, ઉદ્ધારવું એ એને માટે મહિમાવંત ધર્મના
કાર્યરૂપ બન્યાં હતાં.
અહીંયાં ન હતી કોઈ રચના દુનિયાતણી,
ઘાલમેલે મચેલાં ને સંભાળ નવ રાખતાં
બળો જેને એક દા' ડા માટેના ઉપયોગને
અર્થે જ યોગ્ય માનતાં
ભાગ્યને પડદે એક છાયા ફફડતી જતી,
સરી જતા તમાશાને માટે જાણે બનેલી અર્ધ-જીવની,
કે કામનાતણા સિંધુ પરે ભાગ્યા વહાણનો
કોઈ એક ફ્ગાયેલો વમળોમાં, દયારહિત ખેલમાં
ઉછાળાતો અકસ્માત કેરા ગર્તથકી એક
બીજા કો ગર્તની દિશે,
ઝૂકવા ઝુંસરી હેઠ જન્મેલો ક્ષુદ્ર જીવ કો,
કાળના અધિપો કેરી ચીજ કે ઢીંગલીય કો,
કે જીવ જગનો એક શેતરંજ કૃતાન્ત સાથ ખેલાતો,
ત્યાં સીમાહીન ચોપાટે ચાલતા દાવની મહીં
વળી કો સોગઠું એક નિર્માયેલું
ધીરી ચાલે થોડું આગે ચલાવવા, --
આવું છે માનવી ચિત્ર આલેખાયેલ કાળથી.
સાવિત્રીમાં કિંતુ એક હતું સચેત ચોકઠું,
હતી શક્તિ સ્વયંભવા.
આ અહીંની સમસ્યામાં પ્રભુ કેરા પ્રદોષની,
સીમિતકર માયાની ને અસીમિત આત્માની
વચ્ચે વિચિત્ર ને ધીરું અસ્વસ્થ સમાધાન જ્યાં,
વ્યવસ્થિત યદ્દચ્છા ને
પરવા ના કરે એવી અવશ્યંભાવિતા તણી
વચગાળે સૌને જ્યાં ચાલવું પડે,
૨૮
ત્યાં અત્યુચ્ચ ભભૂકવા
અગ્નિ અધ્યાત્મનો ધૃષ્ટ કરી સાહસ ના શકે.
જો એક વાર આ અગ્નિ યોગ સાધે સાન્દ્ર આદિમ જયોતનો
તો પ્રત્યત્તરનો સ્પર્શ
છિન્નભિન્ન કરી નાખે માનો ઊભાં કરેલ સૌ,
અનંતતણા ભારે ધરા જાય રસાતળે.
જેલ છે આ બેશુમાર મોટું જગ પદાર્થનું.
પ્રત્યેક માર્ગની આડે ખડો એક ધારો શસ્ત્રાસ્ત્રથી સજ્યો
પાષાણી નેત્ર ન્યાળતો,
પ્રતિદ્વાર ભરે પ્હેરો ભીમકાય છાયારૂપાળ સંતરી.
અદાલત અવિદ્યાની ધૂમધૂમર એક છે,
રાત્રિના પૂજકો જેમાં બેઠા છે ન્યાય તોળવા,
સાહસ કરતા જીવ પર કેસ ચલાવતા,
તકતીઓ જોડિયા છે ને સૂત્રવિધિ કર્મના,
દેવ-દાનવ બન્નેને આપણામાં રાખતાં જે નિયંત્રણે :
દુઃખ ચાબુકથી, હર્ષ રૂપેરી લાંચરિશ્વતે
રક્ષે છે ચક્રના ગોળાકાર ઘૂમી રહેલા નિશ્ચલત્વને,
શુંખલા-બંધ નંખાયે આરોહંતા ઊર્ધ્વ માનસની પરે,
અત્યુદાર અને ખૂબ ખુલ્લું હૈયું સીલબંધ થઇ જતું ,
અને શોધક જિંદગીની જાત્રા આડે મૃત્યુ અટક આણતું.
આમ અચેતની ગાદી સલામત બનેલ છે,
ને કલ્પોના મંદ વીંટા, દરમ્યાન, પસાર થઇ જાય છે,
ને ચરી ત્યાં સુધી ખાતું પશુ મધ્યે વાડામાંહ્ય પુરાયેલું,
ન સ્વર્ણ શ્યેન આકાશો વીંધી ક્યાંક કરી સંચારણો શકે.
પણ એક થયું ઊભું અને એણે
સીમાતીત જ્વાળા પ્રજ્વલીતા કરી.
હર્ષાર્થે જિંદગીને જ્યાં પડે કિંમત આપવી
ત્યાં કઠોર કચેરીમાં
મહાસુખતણા દ્વેષી કાળા દેવે મૂક્યું માથે તહોમત,
ને યંત્રવત્ જજે ન્યાય કરી છે દીધા દંડમાં
૨૯
આશાઓ માનવી કેરી દુઃખી દુઃખી બનાવતી :
ભયંકર ચુકાદાની સામે એણે ઝુકાવ્યું નિજ શીશ ના,
દૈવ કેરા ઘાવ સામે નિરાધાર હૈયું ખુલ્લું કર્યું નહીં.
જુના નક્કી કરાયેલા કાયદાઓ પ્રત્યે આધીનતા ધરી,
મન-જાયો માનવીનો સંકલ્પ આ પ્રકારથી
નમે છે, ને નથી એને નમ્યા વગર ચાલતું :
પડે સ્વીકારવા એને દેવો પાતાળ લોકના
ને અપીલ ન ચાલતી.
સાવિત્રી બીજ બોયું પોતાનું અતિમાનુંષે.
સ્વપ્નની નિજ ઓજસ્વી પાંખોને જે
બીડવાનું ન ' તો ઉચિત માનતો
તે તેનો આત્મા સામાન્ય
ભોમ કેરે પરિષ્વંગે રહેવાનું નકારતો,
જિંદગીના બધા સ્વર્ણ અર્થ જાય હરાઈ તે
જોવા ના માગતો હતો,
માટી સાથે મળી જાવા
કે નક્ષત્ર-પંક્તિમાંથી ભૂંસાઈ જાય નામ તે
કબૂલ કરતો ન ' તો ,
કાળા વિષાદથી જ્યોતિ પ્રભુદત્ત બુઝાય તે
ચાહના રાખતો ન ' તો.
છે જે શાશ્વત ને સત્ય તેનો અભ્યાસ સેવતો,
પોતાનાં દિવ્ય મૂળોનું ભાન એનો આત્મા રાખી રહેલ, તે
મર્ત્ય ભંગુરતા પાસે દુઃખ-શાંતિ ન માગતો,
ન સોદો કે સમાધાન નૈષ્ફલ્ય સાથ યોજતો.
કરવાનું હતું એને કાર્ય એક,
હતો એને શબ્દ એક સુણાવવો ;
કોરી પ્રકૃતિને ગ્રંથે ચિંતનો-ચરિતાવલિ,
એ મહીં લખતી' તી એ અસમાપ્ત
કથની નિજ આત્મની ;
તેથી એણે કબૂલ્યું ના કરવાને બંધ પૃષ્ઠ પ્રભા ભર્યું,
૩૦
શાશ્વત સાથેનો એનો વ્યાપાર રદ ના કર્યો,
નાણાવટે જગત્ કેરી ક્રૂરકર્મી શિલકે જે રહેલ છે
તે પરે મારવાનું ના મતું માંદું કબૂલિયું.
પૃથ્વી સર્જાઈ ત્યારની
એનામાંની શક્તિ એક શ્રમ સેવી રહી હતી,
જીવને કરતી સિદ્ધ વિશાળ વિશ્વયોજના,
મૃત્યુ પછી લઇ પીછો લક્ષ્યો અમર સેવતી,
આશાભંગતણા વ્યર્થ ભાગકેરો
અસ્વીકાર કરી તેને ધુત્કારી કાઢતી હતી,
ન કબૂલ્યું ભરી દેવા દંડ રૂપે
અભિપ્રાય કાળમાં હ્યાં થયેલા નિજ જન્મનો,
અચિંતી ઘટના કેરું સ્વીકાર્યું નહિ શાસન,
કે ઉચ્ચ નિજ ભાવિને
ચાલી જતી યદ્દચ્છાને આધીન કરવા ચહ્યું.
ઉચ્ચ આલંબ પોતાનો પામી પોતામહીં જ એ ;
પોલાદી કાયદા સામે સર્વોચ્ચ સ્વાધિકારને
કરતી સમતોલ એ :
એનો એકલ સંકલ્પ થયો ઊભો ધારા સામે જગત્-તણા.
આ મહત્તા થઇ ઊભી કાળનાં ચક્ર રોકવા.
અદૃષ્ટના ટકોરાઓ ગુપ્ત દ્વારો પરે થતાં,
વૈધુત સ્પર્શથી એનું બૃહત્તર બની બળ
જાગ્યું નિદ્રા તજી એના હૈયાના ગૂઢ કક્ષમાં.
ઘા એણે તે-તણો ઝીલ્યો જે મારે છે ને તારે છે સમસ્તને .
આંખ કો ન શકે જોઈ તે અઘોર કૂચની આરપારમાં,
ફેરવી ના શકે જેને કો સંકલ્પ તે માર્ગ અવરોધતી,
ખડી એ વિશ્વનાં યંત્રો સામે સંમુખતા ધરી ;
ધાતાં ચક્રોતણે રાહે હૈયું એક ખડું થયું :
રાક્ષસી વેગ એનો ત્યાં ગયો થંભી એક મન સમક્ષમાં,
રૂક્ષ એની રૂઢિઓને મળી સામે જવાળા એક ચિદાત્મની.
ઓચિંતું કો ચમત્કારી ઉચ્ચાલન મળી જતું,
૩૧
જે આચ્છાન્ન અનિર્વાચ્ય
કેરો અકાળ સંકલ્પ ગતિમાન બનાવતું :
એકાદ પ્રાર્થના, શ્રેષ્ઠ ક્રિયા, રાજ-પ્રભાવી એક ભાવના
પારની શક્તિની સાથે માનવીના બળનો યોગ સાધતી.
ચમત્કાર બની જાય પછી નિયમ નિત્યનો,
વસ્તુના ક્રમને દેતું પલટાવી એક કૃત્ય મહાબલી ;
સર્વશક્તિ બની જાય એકમાત્ર વિચાર કો.
અત્યારે તો પ્રકૃતિનાં યંત્રોકેરા સમૂહ શું
સર્વ કાંઈ જણાય છે ;
અંતરહિત દાસત્વ જડતા નિયમોતણું ,
અને નિર્માણની દીર્ધ અને સુદૃઢ શૃંખલા,
નકલો નિયમોતણી,
એવી પ્રકૃતિની પાકી અને નાફેર આદતો,
ને 2690;ઈ જણાય છે ;
ને તેનું રાજ્ય નિચેષ્ઠા ચાલક તબબીરનું
દાવો રદ કરે મુક્ત ઇચ્છાનો માનવીતણી.
યંત્રો મધ્યે મનુષ્યેય એક-યંત્રસ્વરૂપ છે;
બંબાના દંડની પેઠે મસ્તિષ્કે યે
બ્હાર ખેંચી કાઢે રૂપો વિચારનાં,
હૈયું ધડકતું કાપી કાઢે માર્ગ-પ્રકારો લાગણીતણા ;
શક્તિ નિશ્ચેતના એક કરે નિર્માણ જીવનું.
અથવા તો પદાર્થના
બંધ-સ્તંભતણી આસપાસ ચક્કર મારતાં
પુરાણા પગલાં બદ્ધ યદૃચ્છાનાં પુનરાવૃત્તિ પામતાં
હોય એની નિશાનીઓ કરે ખુલ્લી સ્વરૂપ જગતીતણું.
અયોગ્ય ધટનાઓની આકસ્મિક પરંપરા
છે અહીં, બુદ્ધિ આપે છે માયાવી અર્થ જેહને,
કે સ્વયંમપ્રેરિતા શોધ જિંદગીની પ્રયોગોમાં પ્રતિષ્ઠત
૩૨
સાક્ષી-સ્વરૂપ છે પોતે
ને ચિત્-શક્તિય છે તેની કરતો અનુભૂતિ એ ;
આત્મા એનો ઉદાસીન જોતો પરમ જ્યોતિને.
જડસા યંત્રની પૂઠે સ્થિત છે એક દેવતા.
ઘૂસીને સત્ય આ આવ્યું અગ્નિની વિજયી ગતે;
માનવીમાં વિરજંતા પ્રભુ માટે લાભ વિજયનો થયો,
પ્રચ્છન્ન મુખ પોતાનું કર્યું પ્રકટ દૈવતે.
મહામતા વિશ્વ કેરી સાવિત્રીની મહીં ઊભી હવે થઇ :
જીવંત વરણો એક દૈવની જડ ને મૃતા
ગતિને ઉલટાવતી,
દૈવયોગ પરે પાય આત્માકેરા દૃઢીભૂત બનાવતી,
પછાડી હડસેલતી
અસંવેદ ચક્ર દારુણ ચાલતું,
અવશ્યંભાવિતા કેરી નિરોધંતી નિ:શબ્દ કૂચની ગતિ.
શાશ્વત શિખરોમાંથી આવેલો એ એક યોધ પ્રદીપતો,
નિષેધાયેલ ને બંધ દ્વારે બેળે
ખોલવાનો અધિકાર ધરાવતો,
મૃત્યુકેરે મુખે એણે ઘા ઝીકીને
મૂક તેનું મૂળ રૂપ કર્યું છતું,
ને કરી ચેતનાની ને કાળ કરી સીમાઓ શીર્ણદીર્ણ સૌ.
૩૩
બીજો સર્ગ સમાપ્ત
Home
Sri Aurobindo
Books
SABCL
Gujarati
Share your feedback. Help us improve. Or ask a question.